જલારામ જ્યોત મેગેઝીને હંમેશા કોમી સદ્ ભાવનો પ્રચાર કર્યો છે. દેશભરમાં કોઈ પણ જલારામ મંદિરની સેવકીય પવૃત્તિ માટે આર્થિક સહાયની જરૂર હોય તો અપીલ વાંચકો સમક્ષ મૂકી છે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ગૌશાળાઓ તેમ જ અન્ય સખાવતી સંસ્થાઓની અપીલ પ્રકાશીત કરી છે અને દર વખતે તેના વાંચકોએ ઉદારદિલે પ્રતિસાદ આપ્યો છે.
ઈ.સ. 1998થી જલારામ જ્યોતે વિદ્યાર્થીઓ માટે એકદમ વ્યાજબી ભાવે નોટબુક-ચોપડા આપવાની શરૂઆત કરી અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે આજ સુધી આ નમ્ર સેવા ચાલુ છે.
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત
આ મેગેઝીનનો વાંચકવર્ગ ભારતના દરેક સ્ટેટ ઉપરાંત યુ.કે., અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલીઆ, ન્યુઝીલેન્ડ અને અખાતમાં વસતા ગુજરાતીઓમાં પણ છે.
ભોજન દઈ રાજી થાતા, લેતા રામનું નામ, જીવનમાં ઉતાર્યું બાપા જય જય જલારામ